૨૪ એ માણસોને તારી સાથે લઈ જા અને તેઓ સાથે તું પણ નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કર. તું તેઓનો ખર્ચો ઉઠાવજે, જેથી તેઓ પોતાનું માથું મૂંડાવે. પછી બધા લોકોને ખબર પડશે કે તું નિયમશાસ્ત્ર પાળે છે અને એ પ્રમાણે ચાલે છે.+ તેઓને ખ્યાલ આવશે કે તારા વિશે સાંભળેલી અફવાઓ ખોટી છે.