૧૪ પણ એના કરતાં ખ્રિસ્તનું લોહી વધારે મૂલ્યવાન છે.+ હંમેશાં ટકનારી પવિત્ર શક્તિની મદદથી ખ્રિસ્તે પોતાને કલંક વગરના બલિદાન તરીકે ઈશ્વરને અર્પી દીધા. તેમનું લોહી આપણું અંતઃકરણ શુદ્ધ કરે છે+ અને હવે આપણે નકામાં કામો કરતા નથી. આમ, આપણે જીવંત ઈશ્વરની પવિત્ર સેવા કરી શકીએ છીએ.+