-
૨ કાળવૃત્તાંત ૨૩:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ સાતમા વર્ષે યહોયાદા યાજકે હિંમતથી કામ લીધું. તેણે સો સોની ટુકડીના આ મુખીઓ સાથે કરાર કર્યો:+ યરોહામનો દીકરો અઝાર્યા, યહોહાનાનનો દીકરો ઇશ્માએલ, ઓબેદનો દીકરો અઝાર્યા, અદાયાનો દીકરો માઅસેયા અને ઝિખ્રીનો દીકરો અલીશાફાટ. ૨ તેઓ આખા યહૂદામાં ફરી વળ્યા. તેઓએ યહૂદાનાં બધાં શહેરોમાંથી લેવીઓને+ અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના વડાઓને ભેગા કર્યા. તેઓ બધા યરૂશાલેમ આવ્યા. ૩ બધા લોકોએ સાચા ઈશ્વરના મંદિરમાં રાજા સાથે કરાર કર્યો.+ પછી યહોયાદાએ તેઓને કહ્યું:
“જુઓ, દાઉદના દીકરાઓ વિશે યહોવાએ જે વચન આપ્યું હતું, એ પ્રમાણે રાજાનો દીકરો રાજ કરશે.+
-