-
૨ રાજાઓ ૧૨:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ એ ગણેલા પૈસા તેઓ યહોવાના મંદિરમાં થતા કામની દેખરેખ રાખનારાઓને આપતા. પછી એ લોકો યહોવાના મંદિરમાં કામ કરનાર સુથારોને અને બાંધકામ કરનારાઓને એમાંથી મજૂરી ચૂકવતા.+ ૧૨ કડિયાઓ અને પથ્થર કાપનારાઓને પણ તેઓ મજૂરી ચૂકવતા. યહોવાના મંદિરના નુકસાનનું સમારકામ કરવા, તેઓ લાકડાં અને ઘડેલા પથ્થરો પણ વેચાતાં લઈ આવતાં. મંદિરનું સમારકામ કરવાનો ખર્ચ તેઓ એ પૈસામાંથી ચૂકવતા.
-
-
૨ કાળવૃત્તાંત ૩૪:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ યહોવાના મંદિરના કામની દેખરેખ રાખનારાઓને તેઓએ એ પૈસા આપ્યા. યહોવાના મંદિરમાં કામ કરતા માણસોએ એ પૈસાથી મંદિરનું સમારકામ કર્યું.
-