૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
૫૨ એવો કયો પ્રબોધક છે, જેની સતાવણી તમારા બાપદાદાઓએ કરી નથી?+ હા, નેક માણસના આવવા વિશે જેઓએ અગાઉથી જણાવ્યું, તેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા+ અને હવે તમે પણ એ નેક માણસને દગો કર્યો અને મારી નાખ્યા.+