૨૫ “એ માટે હું તમને કહું છું કે તમારા જીવનની* ચિંતા કરવાનું બંધ કરો+ કે તમે શું ખાશો કે શું પીશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ શું ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી નથી?+
૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે.