-
તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાંતેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
૧૦ એ મહેનતુ સૈનિકો ઘેટાંપાળકો સાથે કઈ રીતે વર્ત્યા? તેઓ પોતાના માટે આસાનીથી એકાદ ઘેટું હડપ કરી શક્યા હોત, પણ તેઓએ એવું કંઈ જ કર્યું નહિ. એના બદલે, તેઓ તો નાબાલનાં ઘેટાં અને ચાકરોને રક્ષણ આપતી દીવાલ સમાન બન્યા હતા. (૧ શમૂએલ ૨૫:૧૫, ૧૬ વાંચો.) ઘેટાં અને એને ચરાવનારા પર ઘણાં જોખમો આવી પડતાં. આસપાસ ઘણાં જંગલી પ્રાણીઓ હતાં; ઇઝરાયેલની દક્ષિણ સરહદ એટલી નજીક હતી કે પરદેશી ધાડપાડુઓ અવાર-નવાર હુમલા કરતા.b
-
-
તેણે સમજી-વિચારીને પગલાં ભર્યાંતેઓની શ્રદ્ધાને પગલે ચાલો
-
-
b દાઊદને લાગતું કે ત્યાંના જમીનદારો અને તેઓનાં ઘેટાંનું રક્ષણ કરવું, એ યહોવાની સેવા કરવા બરાબર હતું. એ દિવસોમાં યહોવાનો હેતુ હતો કે ઈબ્રાહીમ, ઇસહાક અને યાકૂબના વંશજો એ જગ્યામાં રહે. તેથી, પરદેશી ઘૂસણખોરો અને ધાડપાડુઓથી એ જગ્યાનું રક્ષણ કરવું, એક રીતે પવિત્ર સેવા જ હતી.
-