-
બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરીઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
તેઓ જૈતૂન વૃક્ષો વચ્ચે આવેલા એ સુંદર બાગમાં આવી પહોંચ્યા ત્યારે, આઠ પ્રેરિતોને ત્યાં છોડીને ઈસુ આગળ વધ્યા. કદાચ તેઓ બાગના પ્રવેશદ્વારે જ રોકાઈ ગયા હતા, કેમ કે ઈસુએ તેઓને કહ્યું હતું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” ઈસુ ત્રણ પ્રેરિતોને લઈને બાગની અંદર થોડે દૂર ગયા. એ પ્રેરિતો પીતર, યાકૂબ અને યોહાન હતા. ઈસુ બહુ પરેશાન થયા અને ત્રણ પ્રેરિતોને કહ્યું: “હું બહુ જ દુઃખી, અરે મરવા જેવો થયો છું. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.”—માથ્થી ૨૬:૩૬-૩૮.
-
-
બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરીઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
ઈસુએ સ્વર્ગમાંથી જોયું હતું કે રોમનો નિર્દયતાથી લોકોને રિબાવી રિબાવીને મોતને ઘાટ ઉતારતા હતા. હવે, તે માનવ શરીરમાં હતા અને મનુષ્યોની લાગણીઓ તેમજ દુઃખ-દર્દ અનુભવી શકતા હતા. એટલે, પોતાની સાથે જે બનવાનું હતું એની તે રાહ જોતા ન હતા. એનાથી પણ મહત્ત્વનું તો, તેમને આ વાતની ભારે વેદના હતી: તે જોઈ શકતા હતા કે તેમને રીઢા ગુનેગાર ગણીને મારી નાખવામાં આવશે ત્યારે, તેમના પિતાના નામ પર કલંક લાગી શકે છે. થોડા જ કલાકોમાં, ઈશ્વરનિંદાનો આરોપ મૂકીને દુશ્મનો તેમને વધસ્તંભે ચડાવી દેવાના હતા.
-