-
ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૧. આપણી ભક્તિ શાના આધારે હોવી જોઈએ?
ઈસુએ ઈશ્વરને કહ્યું હતું, “તમારાં વચનો સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) એટલે આપણી ભક્તિ ઈશ્વરના વચન બાઇબલના આધારે હોવી જોઈએ. પણ ઘણા ધર્મગુરુઓ બાઇબલમાં જણાવેલી ઈશ્વરની વાતોને આંખ આડા કાન કરે છે. તેઓ ઈશ્વરની ખરી વાતો શીખવવાને બદલે માણસોના વિચારો અને રીતરિવાજો પાળવાનું શીખવે છે. જ્યારે લોકો ‘ઈશ્વરની આજ્ઞાઓ ટાળે છે,’ એટલે કે એ આજ્ઞાઓ પાળતા નથી, ત્યારે ઈશ્વર દુઃખી થાય છે. (માર્ક ૭:૯ વાંચો.) પણ જ્યારે લોકો બાઇબલમાં લખેલી વાતો પાળે છે, ત્યારે ઈશ્વર ખુશ થાય છે.
-
-
શું યહોવાના સાક્ષીઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૧. યહોવાના સાક્ષીઓનું શિક્ષણ શાના આધારે હોય છે?
ઈસુએ કહ્યું હતું: ‘ઈશ્વરનાં વચનો સત્ય છે.’ (યોહાન ૧૭:૧૭) ઈસુની જેમ યહોવાના સાક્ષીઓ પણ જે કંઈ શીખવે છે એ બાઇબલના આધારે હોય છે. ચાલો, યહોવાના સાક્ષીઓનો ઇતિહાસ જોઈએ. પહેલાં તેઓ બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. આશરે ૧૮૭૦ની સાલમાં તેઓએ પોતે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેઓને બાઇબલમાંથી એવી ઘણી વાતો જાણવા મળી, જે ચર્ચના શિક્ષણથી એકદમ અલગ હતી. એટલે તેઓ બાઇબલમાં લખેલી વાતો માનવા લાગ્યા અને બીજાઓને પણ એ વિશે જણાવવા લાગ્યા.a
-