-
ઈશ્વર કોણ છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૪. યહોવા ચાહે છે કે તમે તેમનું નામ જાણો અને એ નામથી તેમને બોલાવો
આપણે યહોવાનું નામ જાણી શકીએ એ માટે તેમણે શું કર્યું છે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
શું યહોવા ચાહે છે કે બધા લોકો તેમનું નામ જાણે? એવું કઈ રીતે કહી શકાય?
યહોવા ચાહે છે કે લોકો તેમને નામથી બોલાવે. રોમનો ૧૦:૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
યહોવા ઈશ્વરને કેમ તેમના નામથી બોલાવવા જોઈએ?
જો કોઈ તમારું નામ યાદ રાખે અને તમને નામથી બોલાવે, તો તમને કેવું લાગશે?
તમે યહોવાને તેમના નામથી બોલાવો છો ત્યારે તેમને કેવું લાગે છે?
-
-
ધર્મોએ કઈ રીતે લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
-
-
૧. ધર્મોએ કેવી વાતો શીખવીને લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે?
મોટા ભાગના ધર્મો ‘ઈશ્વર વિશેનું સત્ય શીખવવાને બદલે અસત્ય’ શીખવે છે. (રોમનો ૧:૨૫) દાખલા તરીકે, મોટા ભાગના ધર્મો શીખવતા નથી કે એક જ સાચા ઈશ્વર છે, જેમનું નામ યહોવા છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બધાએ યહોવાને તેમના નામથી બોલાવવા જોઈએ. (રોમનો ૧૦:૧૩, ૧૪) બીજો દાખલો લો. કોઈ ખરાબ બનાવ બને ત્યારે ધર્મગુરુઓ કહે છે, “જેવી ઈશ્વરની મરજી.” પણ એ હળહળતું જૂઠું છે. બાઇબલમાં જણાવ્યું છે, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી. (યાકૂબ ૧:૧૩ વાંચો.) દુઃખની વાત છે કે એવી જૂઠી વાતો શીખવીને ધર્મોએ લોકોને ઈશ્વરથી દૂર કરી દીધા છે.
-