-
કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
-
-
એ મહેમાનો કદાચ મિશનરી, યોહાનના પ્રતિનિધિઓ અથવા પ્રવાસી નિરીક્ષકો હતા. ગમે એ હોય, પણ તેઓ ખુશખબરને લીધે મુસાફરી કરતા હતા. તેઓ વિશે યોહાને કહ્યું હતું: “ઈશ્વરના નામને લીધે તેઓ જાય છે.” (૩ યોહા. ૭) આગલી કલમમાં પણ યોહાને ઈશ્વરનો ઉલ્લેખ કર્યો છે. (કલમ ૬ જુઓ) તેથી, “ઈશ્વરના નામને લીધે” શબ્દો યહોવાના નામને રજૂ કરે છે. એટલે, એ ભાઈઓ મંડળનો ભાગ હતા અને સારો આવકાર મેળવવાને પાત્ર હતા. યોહાને કહ્યું હતું: “એવા ભાઈઓની મહેમાનગતિ કરવી આપણી ફરજ છે, જેથી આપણે સત્યમાં તેમની સાથે કામ કરનારા બની શકીએ.”—૩ યોહા. ૮.
-
-
કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
-
-
પહેલો, આપણને સત્યનું જે જ્ઞાન મળ્યું છે, એનો શ્રેય એ ઈશ્વરભક્તોને જાય છે, જેઓએ સત્ય શીખવવા દૂર દૂર સુધી મુસાફરી કરી હતી. ખરું કે, આજે મંડળના બધા સભ્યો ખુશખબર ફેલાવવા દૂર દૂર મુસાફરી કરતા નથી. જોકે, ગાયસની જેમ આપણે એ ભાઈ-બહેનોને કોઈક રીતે ટેકો અને ઉત્તેજન આપી શકીએ, જેઓ ખુશખબર ફેલાવવા ઘણી મુસાફરી કરે છે. જેમ કે, સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની. આપણે એવાં ભાઈ-બહેનોને વ્યવહારુ મદદ આપી શકીએ, જેઓ પોતાના દેશમાં અથવા વધુ જરૂર છે એ દેશમાં જઈને સેવા આપે છે. ચાલો આપણે “પરોણાગત બતાવતા” રહીએ.—રોમ. ૧૨:૧૩; ૧ તિમો. ૫:૯, ૧૦.
-