૧૬ યહોવાએ મૂસાને કહ્યું: “જો! હવે તું મરવાની અણીએ છે.* આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે, એ દેશના દેવોની ભક્તિ કરીને તેઓ મને બેવફા બનશે.*+ તેઓ મને છોડી દેશે+ અને તેઓ સાથે મેં જે કરાર કર્યો છે એ તોડી નાખશે.+
૯ ઇજિપ્તમાંથી મેં તેઓના બાપદાદાઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા,+ એ દિવસે મેં તેઓ સાથે જે કરાર કર્યો હતો એના જેવો આ કરાર નહિ હોય. તેઓ મારા કરાર પ્રમાણે ચાલ્યા નહિ, એટલે મેં તેઓની સંભાળ રાખવાનું છોડી દીધું,’ એવું યહોવા* કહે છે.