-
૧ રાજાઓ ૧૨:૩૧, ૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ યરોબઆમે ભક્તિ-સ્થળોએ મંદિર બાંધ્યાં. તેણે એવા લોકોને યાજકો બનાવ્યા, જેઓ લેવી ન હતા.+ ૩૨ યરોબઆમે યહૂદાના તહેવાર જેવો જ એક તહેવાર ઠરાવ્યો.+ એ આઠમા મહિનાના ૧૫મા દિવસે હતો. તેણે બેથેલમાં+ ઊભી કરેલી વેદી પર, પોતે બનાવેલાં વાછરડાં આગળ બલિદાનો ચઢાવ્યાં. તેણે બેથેલમાં બનાવેલાં ભક્તિ-સ્થળો માટે યાજકો નીમ્યા.
-