૩૩ “‘એટલે આશ્શૂરના રાજા વિશે યહોવા આમ કહે છે:+
“તે આ શહેરમાં આવશે નહિ.+
તે ન તો તીર મારશે,
ન ઢાલ લઈને એની સામે લડશે,
ન એને ઘેરી લેવા ઢોળાવ બનાવશે.”’+
૩૪ ‘તે જે રસ્તે આવ્યો છે એ જ રસ્તે પાછો જશે,
તે આ શહેરમાં આવશે નહિ,’ એવું યહોવા જણાવે છે.
૩૫ ‘હું મારા માટે અને મારા સેવક દાઉદ માટે+
આ શહેરની રક્ષા કરીશ,+ એને બચાવીશ.’”+