વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
    • ૧૦. યહોવાને વફાદાર રહેવા અને હિંમત બતાવવા બીજા ઈશ્વરભક્તોને ક્યાંથી મદદ મળી?

      ૧૦ હિબ્રૂઓ અધ્યાય ૧૧માં, પ્રેરિત પાઊલે એવી કસોટીઓ વિશે જણાવ્યું હતું જે અમુક ઈશ્વરભક્તોએ સહી હતી. એ ઈશ્વરભક્તો શા માટે કસોટી સહી શક્યા? કારણ કે, તેઓને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો હતો. દાખલા તરીકે, પાઊલે એવી અમુક સ્ત્રીઓ વિશે જણાવ્યું હતું, જેઓના દીકરા મરણ પામ્યા હતા અને પછીથી તેઓને જીવતા કરવામાં આવ્યા હતા. પછી, પાઊલે બીજા અમુકનો ઉલ્લેખ કર્યો જેઓ “છુટકારા માટે ઈશ્વરને બેવફા બન્યા નહિ, જેથી તેઓને વધારે સારા જીવન માટે જીવતા કરવામાં આવે.” (હિબ્રૂ. ૧૧:૩૫) આપણે જાણતા નથી કે પાઊલે કયા ઈશ્વરભક્તોને ધ્યાનમાં રાખીને એ વાત લખી હતી. કદાચ તેમના મનમાં નાબોથ અને ઝખાર્યા જેવા ભક્તો હશે. ઈશ્વરને વફાદાર રહેવાને લીધે દુશ્મનોએ તેઓને પથ્થરે મારી નાખ્યા. (૧ રાજા. ૨૧:૩, ૧૫; ૨ કાળ. ૨૪:૨૦, ૨૧) દાનીયેલ અને તેમના સાથીઓ પોતાના “છુટકારા માટે” યહોવાને બેવફા બની શક્યા હોત. પરંતુ, તેઓને પૂરો ભરોસો હતો કે, કસોટીઓ સહન કરવા યહોવા તેઓને પવિત્ર શક્તિની મદદ આપશે. અરે, તેઓની શ્રદ્ધાએ “સિંહોના મોં બંધ કર્યા” અને “આગની જ્વાળાઓ હોલવી નાખી”!—હિબ્રૂ. ૧૧:૩૩, ૩૪; દાની. ૩:૧૬-૧૮, ૨૦, ૨૮; ૬:૧૩, ૧૬, ૨૧-૨૩.

  • ભાવિની આશા પર પૂરી શ્રદ્ધા રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
    • ૧૨. અનુકરણ કરવા માટે સૌથી સારો દાખલો કોણે બેસાડ્યો છે? કસોટી સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી?

      ૧૨ યહોવાને વફાદાર રહેવાને લીધે ઈસુએ સૌથી આકરી કસોટી સહન કરી. એ સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી? પાઊલે કહ્યું: “તેમની આગળ રાખેલા આનંદને લીધે તેમણે વધસ્તંભનું દુઃખ અને અપમાન સહન કર્યાં. તે ઈશ્વરના રાજ્યાસનની જમણી બાજુ બેઠા છે.” (હિબ્રૂઓ ૧૨:૨) એ જણાવ્યા પછી પાઊલે બધા ઈશ્વરભક્તોને ઈસુના દાખલા પર “પૂરું ધ્યાન” આપવા ઉત્તેજન આપ્યું. (હિબ્રૂઓ ૧૨:૩ વાંચો.) ઈસુની જેમ પ્રથમ સદીના બીજા ઘણા ઈશ્વરભક્તો વફાદારી જાળવવાને લીધે મરણને ભેટ્યા હતા. તેઓમાંના એક અંતિપાસ હતા. (પ્રકટી. ૨:૧૩) પ્રાચીન સમયના ઈશ્વરભક્તો પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા હતા; જ્યારે કે, પહેલી સદીના વફાદાર સેવકો તો સ્વર્ગના જીવનનું ઇનામ મેળવી ચૂક્યા છે. (હિબ્રૂ. ૧૧:૩૫) ૧૯૧૪માં ઈસુ રાજા બન્યા એના થોડા સમય પછી અભિષિક્ત ખ્રિસ્તીઓને સ્વર્ગના જીવન માટે ઉઠાડવામાં આવ્યા; અને તેઓ આખી માણસજાત પર ઈસુ સાથે રાજ કરશે.—પ્રકટી. ૨૦:૪.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો