-
૧ રાજાઓ ૨૧:૧૯-૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ તારે તેને જણાવવું કે ‘યહોવા આમ કહે છે: “તેં એક માણસનું ખૂન કર્યું છે,+ હવે તેની મિલકત પણ પચાવી પાડવી છે?”’+ તેને કહેજે કે ‘યહોવા કહે છે: “જે જગ્યાએ કૂતરાઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું, એ જ જગ્યાએ કૂતરાઓ તારું લોહી ચાટશે.”’”+
૨૦ આહાબે એલિયાને કહ્યું: “મારા દુશ્મન, તેં મને શોધી કાઢ્યો ખરો!”+ એલિયાએ જવાબ આપ્યો: “હા, મેં તને શોધી કાઢ્યો. ‘યહોવાની નજરમાં જે ખરાબ છે એ જ કરવાનું તેં નક્કી કર્યું છે.+ ૨૧ એટલે હું તારા પર આફત લાવીશ. હું તારા વંશજોનો સફાયો કરી નાખીશ અને આહાબના ઘરના દરેક પુરુષને* મારી નાખીશ.+ અરે, ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસોના પણ હું એવા જ હાલ કરીશ.+ ૨૨ હું તારા ઘરને નબાટના દીકરા યરોબઆમ અને અહિયાના દીકરા બાશાના ઘર જેવું કરી નાખીશ.+ તેં મને કોપાયમાન કર્યો છે અને ઇઝરાયેલ પાસે પાપ કરાવ્યું છે.’ ૨૩ ઇઝેબેલ વિશે યહોવાએ આમ કહ્યું છે: ‘યિઝ્રએલની ભૂમિ પર કૂતરાઓ ઇઝેબેલને ખાશે.+ ૨૪ આહાબના કુટુંબમાંથી જે કોઈ શહેરની અંદર મરશે, તેને કૂતરાઓ ખાશે; જે કોઈ શહેરની બહાર મરશે તેને આકાશનાં પક્ષીઓ ખાશે.+
-
-
૨ રાજાઓ ૯:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તારે તારા માલિક આહાબના બધા વંશજોનો સફાયો કરવાનો છે. ઇઝેબેલે મારા પ્રબોધકોને અને યહોવાના ભક્તોને મારી નાખ્યા છે. એ બધાના લોહીનો બદલો હું ઇઝેબેલ પર વાળીશ.+
-