-
૨ રાજાઓ ૨૨:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહીકામને,+ મીખાયાના દીકરા આખ્બોરને, શાફાન મંત્રીને અને રાજાના સેવક અસાયાને ફરમાન કર્યું: ૧૩ “જાઓ, મળી આવેલા આ પુસ્તકના શબ્દો વિશે તમે મારા માટે, લોકો માટે અને યહૂદામાંના બધા માટે યહોવાની સલાહ પૂછી આવો. આપણા વિશે આ પુસ્તકમાં જે લખ્યું છે, એ પ્રમાણે આપણા બાપદાદાઓએ કર્યું નથી. તેઓએ આ પુસ્તકની વાતો પાળી નથી. એટલે આપણા પર યહોવાનો ભારે કોપ સળગી ઊઠ્યો છે.”+
-
-
યર્મિયા ૩૯:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને, નબૂશાઝબાને જે રાબસારીસ* હતો, નેર્ગાલ-શારએસેરે જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના મુખ્ય અધિકારીઓએ માણસોને મોકલ્યા. ૧૪ તેઓ યર્મિયાને ચોકીદારના આંગણામાંથી+ બહાર કાઢી લાવ્યા. તેઓએ તેને શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાને+ સોંપ્યો. તે યર્મિયાને પોતાના ઘરે લઈ આવ્યો. આમ યર્મિયા લોકો સાથે રહ્યો.
-