વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+

      તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+

  • યશાયા ૫૩:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ એ કારણે હું તેને ઘણા લોકોમાં હિસ્સો આપીશ.

      તે લૂંટમાંથી શૂરવીરોને ભાગ વહેંચી આપશે.

      તેણે પોતાનું જીવન આપી દીધું*+

      અને તે ગુનેગારોમાંનો એક ગણાયો.+

      તેણે ઘણા લોકોનાં પાપ માથે લીધાં+

      અને ગુનેગારો માટે સમાધાન કરાવ્યું.+

  • માથ્થી ૧૭:૨૨, ૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે ઈસુએ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૩ તેઓ તેને મારી નાખશે અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+ એ સાંભળીને શિષ્યો બહુ જ દુઃખી થયા.

  • માથ્થી ૨૦:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+ ૧૯ તેઓ મશ્કરી કરવા, કોરડા મારવા અને વધસ્તંભે જડી દેવા માટે તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે+ અને ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+

  • માર્ક ૮:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ તે તેઓને શીખવવા લાગ્યા કે માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને ધિક્કારશે. તેમને મારી નાખવામાં આવશે+ અને ત્રણ દિવસ પછી જીવતા કરાશે.+

  • લૂક ૯:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ પણ તેમણે કહ્યું: “માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને ધિક્કારશે. તેને મારી નાખવામાં આવશે+ અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+

  • લૂક ૨૪:૪૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૬ તેમણે કહ્યું: “આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે.+

  • ૧ કોરીંથીઓ ૧૫:૩, ૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+ ૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો