લેવીય
૧૬ યહોવા આગળ હાજર થવાને લીધે હારુનના બંને દીકરાઓ માર્યા ગયા,+ એ પછી યહોવાએ મૂસા સાથે વાત કરી. ૨ યહોવાએ મૂસાને કહ્યું: “તારા ભાઈ હારુનને કહે કે તે પરમ પવિત્ર સ્થાનમાં*+ પડદાની+ અંદરની બાજુએ, એટલે કે જ્યાં કરારકોશ* અને એનું ઢાંકણ છે ત્યાં મન ફાવે ત્યારે ન આવે. નહિ તો તે માર્યો જશે,+ કેમ કે ઢાંકણ ઉપર+ વાદળમાં+ હું પ્રગટ થઈશ.
૩ “પરમ પવિત્ર સ્થાનમાં આવે એ પહેલાં હારુન પાપ-અર્પણ માટે આખલો+ અને અગ્નિ-અર્પણ માટે ઘેટો+ ચઢાવે. ૪ તે શણનો પવિત્ર ઝભ્ભો+ પહેરે અને નગ્નતા ઢાંકવા શણના જાંઘિયા+ પહેરે. તે પોતાની કમરે શણનો કમરપટ્ટો+ બાંધે અને માથે શણની પાઘડી+ પહેરે. એ પવિત્ર વસ્ત્રો+ છે. તે સ્નાન કરીને+ એ વસ્ત્રો પહેરે.
૫ “તે ઇઝરાયેલીઓ પાસેથી+ પાપ-અર્પણ માટે બે બકરા અને અગ્નિ-અર્પણ માટે એક ઘેટો લે.
૬ “પછી હારુન પાપ-અર્પણનો એ આખલો રજૂ કરે, જે તેનાં પોતાનાં પાપ માટે છે. આમ, તે પોતાનાં અને પોતાના કુટુંબનાં* પાપનું પ્રાયશ્ચિત્ત કરે.+
૭ “પછી તે બે બકરા લે અને તેઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે ઊભા રાખે. ૮ હારુન એ બે બકરા માટે ચિઠ્ઠીઓ* નાખે, જેથી નક્કી થાય કે કયો બકરો યહોવા માટે છે અને કયો અઝાઝેલ* માટે. ૯ ચિઠ્ઠી દ્વારા જે બકરો યહોવા માટે પસંદ થાય,+ એને હારુન પાપ-અર્પણ તરીકે ચઢાવે. ૧૦ પણ ચિઠ્ઠી દ્વારા જે બકરો અઝાઝેલ માટે પસંદ થાય એને યહોવા આગળ જીવતો લાવવામાં આવે. પછી એના પર પ્રાયશ્ચિત્તની વિધિ કરવામાં આવે અને એને અઝાઝેલ માટે વેરાન પ્રદેશમાં છોડી દેવામાં આવે.+
૧૧ “પછી હારુન પાપ-અર્પણનો આખલો રજૂ કરે, જે તેનાં પોતાનાં પાપ માટે છે. આમ, તે પોતાનાં અને પોતાના કુટુંબનાં* પાપ માટે પ્રાયશ્ચિત્ત કરે અને એ આખલો કાપે.+
૧૨ “પછી યહોવા સામેની વેદી+ પરથી હારુન સળગતા અંગારા લઈને અગ્નિપાત્રમાં+ ભરી લે અને બે મુઠ્ઠી બારીક સુગંધી ધૂપ+ લે. એ બધું લઈને તે પડદાની+ અંદરની બાજુએ જાય. ૧૩ તે યહોવા આગળ સળગતા અંગારા પર ધૂપ નાખે.+ એ ધૂપના ધુમાડાથી સાક્ષીકોશના*+ ઢાંકણ+ ઉપર વાદળ છવાઈ જશે, જેથી તે માર્યો ન જાય.
૧૪ “તે આખલાનું થોડું લોહી+ આંગળી પર લે અને એને ઢાંકણની આગળ પૂર્વ બાજુએ છાંટે. તે આંગળીથી થોડું લોહી લઈને ઢાંકણની આગળ સાત વાર છાંટે.+
૧૫ “પછી તે પાપ-અર્પણનો એ બકરો કાપે, જે લોકોનાં પાપ માટે છે.+ તે બકરાનું લોહી પડદાની+ અંદર લાવે અને આખલાનું લોહી છાંટ્યું હતું તેમ બકરાનું લોહી+ પણ છાંટે. તે એ લોહી ઢાંકણ આગળ છાંટે.
૧૬ “ઇઝરાયેલીઓએ કરેલાં અશુદ્ધ કામો, અપરાધો અને પાપોને લીધે હારુન પરમ પવિત્ર સ્થાન માટે પ્રાયશ્ચિત્ત કરે.+ મુલાકાતમંડપ માટે પણ તે એવું જ કરે, કેમ કે એ મંડપ એવા લોકો વચ્ચે છે, જેઓ અશુદ્ધ કામો કરે છે.
૧૭ “હારુન પરમ પવિત્ર સ્થાનમાં જઈને પ્રાયશ્ચિત્ત કરીને પાછો ન આવે ત્યાં સુધી કોઈએ મુલાકાતમંડપમાં પગ મૂકવો નહિ. હારુન પોતાના માટે, પોતાના કુટુંબ* માટે+ અને બધા ઇઝરાયેલીઓ* માટે+ પ્રાયશ્ચિત્ત કરે.
૧૮ “પછી તે યહોવા આગળ મૂકેલી વેદી પાસે આવીને+ એ વેદી માટે પ્રાયશ્ચિત્ત કરે. તે આખલાનું અને બકરાનું થોડું લોહી લઈને વેદીની ચારે બાજુનાં શિંગડાં પર લગાવે. ૧૯ વધુમાં, તે આંગળીથી થોડું લોહી લઈને વેદી પર સાત વાર છાંટે અને ઇઝરાયેલીઓએ કરેલાં અશુદ્ધ કામોથી વેદીને શુદ્ધ અને પવિત્ર કરે.
૨૦ “પરમ પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ અને વેદી+ માટે પ્રાયશ્ચિત્ત કરી લીધા+ પછી તે જીવતો બકરો પણ રજૂ કરે.+ ૨૧ એ જીવતા બકરા પર હારુન પોતાના બંને હાથ મૂકે અને ઇઝરાયેલીઓએ કરેલાં બધાં અપરાધો, ભૂલો અને પાપો કબૂલ કરે. એ બધું તે બકરાને માથે નાખે+ અને ઠરાવેલા માણસના હાથે એ બકરાને વેરાન પ્રદેશમાં છોડી મૂકે. ૨૨ આમ, હારુન એ બકરાને વેરાન પ્રદેશમાં+ મોકલી દેશે અને એ બકરો ઇઝરાયેલીઓના બધા અપરાધો+ વેરાન પ્રદેશમાં લઈ જશે.+
૨૩ “પછી હારુન મુલાકાતમંડપમાં જાય. તે પરમ પવિત્ર સ્થાનમાં ગયો હતો ત્યારે, જે શણનાં વસ્ત્રો પહેર્યાં હતાં, એ કાઢીને એક બાજુએ મૂકી દે. ૨૪ તે પવિત્ર જગ્યામાં* આવીને સ્નાન કરે+ અને પોતાનાં કપડાં પહેરે.+ પછી તે પોતાનું અગ્નિ-અર્પણ+ અને લોકોનું અગ્નિ-અર્પણ+ ચઢાવે તેમજ પોતાના માટે અને લોકોના માટે પ્રાયશ્ચિત્ત કરે.+ ૨૫ તે વેદી પર પાપ-અર્પણની ચરબી આગમાં ચઢાવે.
૨૬ “અઝાઝેલ માટે બકરો+ છોડી મૂકનાર માણસ પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. પછી તે છાવણીમાં આવી શકે.
૨૭ “પાપ-અર્પણના જે આખલા અને બકરાનું લોહી પરમ પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, એ આખલા અને બકરાને છાવણી બહાર લઈ જવા. એનું ચામડું, એનું માંસ અને એના છાણને આગમાં બાળી નાખવાં.+ ૨૮ જે માણસ એ બધું બાળે, તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. પછી તે છાવણીમાં આવી શકે.
૨૯ “આ નિયમ હંમેશ માટે છે: સાતમા મહિનાના દસમા દિવસે તમારે પોતાનાં પાપ માટે દુઃખ વ્યક્ત કરવું* અને એ દિવસે કોઈ કામ કરવું નહિ.+ એ નિયમ બધા માટે છે, પછી ભલે એ ઇઝરાયેલી હોય કે તમારી વચ્ચે રહેતો કોઈ પરદેશી. ૩૦ એ દિવસે તમને શુદ્ધ જાહેર કરવા પ્રાયશ્ચિત્ત કરવામાં આવશે.+ પછી તમે યહોવાની નજરમાં બધાં પાપથી શુદ્ધ ઠરશો.+ ૩૧ એ તમારા માટે સાબ્બાથ,* એટલે કે પૂરા આરામનો અને પોતાનાં પાપો માટે દુઃખ વ્યક્ત કરવાનો દિવસ છે.+ એ નિયમ હંમેશ માટે છે.
૩૨ “જે યાજકને અભિષિક્ત કરવામાં આવે+ અને જેને પોતાના પિતાની જગ્યાએ+ યાજક તરીકે નિયુક્ત કરવામાં* આવે,+ તે જ પ્રાયશ્ચિત્ત કરે. તે શણનાં વસ્ત્રો,+ એટલે કે પવિત્ર વસ્ત્રો+ પહેરે. ૩૩ તે પરમ પવિત્ર સ્થાન,+ મુલાકાતમંડપ+ અને વેદી+ માટે પ્રાયશ્ચિત્ત કરે. તે યાજકો અને બધા ઇઝરાયેલીઓ માટે પણ પ્રાયશ્ચિત્ત કરે.+ ૩૪ આ નિયમ તમને હંમેશ માટે આપવામાં આવ્યો છે,+ જેથી ઇઝરાયેલીઓએ કરેલાં બધાં પાપો માટે તમે વર્ષમાં એક વાર પ્રાયશ્ચિત્ત કરો.”+
યહોવાએ મૂસાને જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ હારુને કર્યું.